
બીપર જોય વાવાઝોડા ના કુદરતી આફતના સમયે મહેર સમાજની સર્વોચ્ચ સંસ્થા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પોરબંદર ના અસરગ્રસ્ત વિસ્તાર ના જરૂરિયાતમંદ પરિવારો તેમજ સરકારી તંત્ર ને મદદરૂપ બનવા પોતાની સામાજિક અને નૈતિક જવાબદારી જાણી તાત્કાલિક ધોરણે ત્રણ હજાર (૭૫૦કિલો) જેટલા ફૂડ પેકેટો તૈયાર કર્યા હતા.
આ સામાજિક જવાબદારી ના ભાગરૂપે સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ મહામંત્રી શ્રી બચુભાઇ આંત્રોલીયા તથા શ્રી જીતેન્દ્રભાઈ વદરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અરજનભાઈ ખિસ્તરિયા, શ્રી નવઘણભાઇ બી. મોઢવાડીયા અને શ્રી કારાભાઈ (વજશીભાઈ) કેશવાલા દ્વારા આ માનવ સેવાનું કાર્ય પાર પડેલ.
હજુ પણ આ બાબતે સરકારી તંત્ર ને શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાની જરૂરિયાત રહેશે ત્યારે સંસ્થાના તમામ હોદેદારો તેમજ કાર્યકર્તાઓ મદદરૂપ બનશે એવી ખાતરી આપવામાં આવેલ.

No Comments