
આપણા મહેર સમાજના કર્મઠ કાર્યકર અને અમદાવાદ મહેર સમાજના પ્રમુખ શ્રી કેશુભાઈ મોઢવાડિયાનું આજ શનિવારના રોજ દુખદ અવસાન થયેલ છે. મૂળ મોઢવાડા ગામના વતની શ્રી કેશુભાઈ છેલ્લા ૧૫-૨૦ વરસથી અમદાવાદ સ્થાયી થયેલ હતા અને અર્થ મુવિંગ અને પેટ્રોલપંપના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. અમદાવાદ ખાતે આપણા મહેર સમાજની તમામ પ્રવૃતિઓમાં તન-મન-ધનથી પૂરો સહયોગ આપતા રહેલા અને અમદાવાદમાં મહેર સમાજ ભવન બને તે માટે તેઓએ આર્થિક અનુદાન ઉપરાંત ખુબ જ સક્રિય ભૂમિકા અદા કરી હતી. અમદાવાદ મહેર સમાજના પ્રમુખ ઉપરાંત તેઓ મોઢવાડા ખાતે મા લીરબાઇ સમાજના ટ્રસ્ટી પણ હતા અને આ સમાજને પણ મોટું આર્થિક અનુદાન આપ્યું હતું. હસમુખા અને દરિયાદિલ સ્વભાવના શ્રી કેશુભાઈની અણધારી વિદાય સમગ્ર સમાજ માટે આઘાતજનક છે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વ.કેશુભાઈના આત્માને પરમ શાંતિ અર્પે એવી પ્રાર્થના.
- શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ

No Comments