તા.09-08-2021 સોમવારના રોજ IMSC પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકાના અમરાપર ગામ મુકામે જ્ઞાતિજનો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ
આ મીટીંગમાં શ્રી વિમલજીભાઈ ઓડેદરા, શ્રી સાજણભાઈ ઓડેદરા, શ્રી લાખાભાઈ કેશવાલા, શ્રી નવઘણભાઈ બી. મોઢવાડિયા, શ્રી નવઘણભાઈ એલ. મોઢવાડિયા તથા શ્રી અરજનભાઈ બાપોદરા, અમરાપર ગામના સરપંચશ્રી હરદાસભાઈ ઓડેદરા, શ્રી દેવાભાઈ પરમાર, શ્રી મહેર શકિત સેના શ્રી કરશનભાઈ ઓડેદરા તેમજ સમાધાન સમિતિના સભ્ય કરશનભાઈ ચૌહાણ, શ્રી રામદેભાઈ ગોઢાણીયા, શ્રી ગીગાભાઈ કેશવાલા, શ્રી રામાજીભાઈ ઓડેદરા, શ્રી વિજયભાઈ સુંડાવદરા, શ્રી હરદાસભાઈ ઓડેદરા, શ્રી માલદેભાઈ દાસા તેમજ શ્રી મહેર શકિતસેનાના કાર્યકર ભાઈઓ તેમજ અમરાપર વિસ્તારના જ્ઞાતિજનો હાજર રહ્યા હતા.
આજની મીટીંગમાં સંસ્થાની વિવિધ સમિતિઓ અને પ્રવૃતિઓ વિશે સ્થાનિક જ્ઞાતિજનોને માહિતગાર કર્યા હતા.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા આગામી સમયમાં યોજાનારા સમુહ લગ્નોત્સવ માટે સ્વ. નાથાભાઈ મુરુભાઈ ખુંટી ( બખરલા )ની સ્મૃતિમાં રૂ.31,000/- નું અનુદાન જાહેર કરેલ છે. (આર્ટીકલ સોર્સ: IMSC ઓફીસ)

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *