
રાજકોટ મહેર સમાજ ખાતે અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓનું સંમેલન સહ સન્માન સમારોહનું તારીખ ૧૬-૦૪-૨૦૨ના રોજ રાજકોટ મહેર સમાજ ખાતે આયોજન કરવામાં આવેલ હતું.
રાજકોટ મહેર સમાજ મુકામે ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના માર્ગદર્શન હેઠળ મહેર ઓફિસર્સ કોર કમિટી દ્વારા શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઇ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને સને ૨૦૨૧-૨૨ તથા૨૦૨૨-૨૩ના વર્ષમાં સમાજનાં ક્લાસ વન, ટુ અને થ્રીમાં તેમજ શૈક્ષણિક સેવામાં પસંદ થયેલ મહેર સમાજના તમામ ભાઈઓ તથા બહેનોનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.
આ સંમેલનના માધ્યમથી મહેર સમાજના અધિકારીઓ, કર્મચારીઓની એકબીજા સાથે મુલાકાત તથા ઓળખાણ થાય તેમજ એકબીજાના વિચારોની આપ લે કરી જ્ઞાતિના વિકાસ કાર્યોમાં કઈ રીતે યોગદાન આપી શકે તે હેતુને સાર્થક કરવા તેમજ મહેર સમાજના સૌપ્રથમ યુ.પી.એસ.સી. (UPSC) પાસ કરીને સીધી ભરતીથી આઈ.પી.એસ. (IPS) ઓફિસર બનનાર શ્રી સંજયભાઈ કેશવાલા તેમજ મહેર સમાજના ક્લાસ વન, ટુ અને થ્રીમાં તથા શૈક્ષણિક સેવામાં પસંદ થયેલ તમામ ભાઈઓ તથા બહેનોનું સન્માન કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા.
માં લીરબાઈ આઈ અને મહેર શિરોમણી સંત પૂજ્ય માલદેવ બાપુનાં ચરણોમાં વંદન કરી દીપ પ્રાગટય દ્વારા આ સન્માન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મંચસ્થ મહેમાનો, ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલનાં પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા, આઈ.પી.એસ. (IPS) ઓફિસર શ્રી સંજયભાઈ કેશવાલા, ખેતીવાડી અધિકારીશ્રીઓ પરબતભાઇ ખિસ્તરિયા અને બાબુભાઈ આગઠ, ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલનાં ટ્રસ્ટીશ્રીઓ સાજણભાઈ ઓડેદરા નવઘણભાઈ બી. મોઢવાડીયા, અરજણભાઇ ખિસ્તરીયા, રાજકોટ મહેર સમાજના પ્રમુખશ્રી પરબતભાઇ ઓડેદરા તેમજ રાજકોટ સીટી કાઉન્સિલનાં પ્રમુખશ્રી નાગેસભાઈ ઓડેદરાનું તેમજ ઉપસ્થિત અધિકારીઓ, કર્મચારીઓ સર્વેનું એકઝીકયુટિવ ડિરેક્ટર-સાયન્સ સિટિ અમદાવાદ ખાતે ફરજ બજાવતા શ્રી જિતેન્દ્રભાઈ વદર દ્વારા શબ્દોથી સ્વાગત કરી પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવેલ. ત્યારબાદ મંચસ્થ મહેમાંનોનું ફૂલોના ગુલદસ્તાથી સ્વાગત કરવામાં આવેલ.
સને ૨૦૨૧-૨૨ તથા૨૦૨૨-૨૩ના વર્ષમાં પાસ થયેલા તથા નિમણુંક પામેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓનું પ્રવર્તમાન ઓફિસરો અને ઉપસ્થિત મહેમાનશ્રીઓનાં હસ્તે પૂજ્ય માલદેવ બાપુની છબી તેમજ મહેર સમાજની વિકાસ ગાથા પુસ્તક સ્મૃતિ ભેટ સ્વરૂપે આપી સન્માન કરવામાં આવેલ. પૂજ્ય માલદેવ બાપુની છબી દ્વારા પૂજ્ય બાપુના જીવનના આદર્શોની પ્રેરણા મળતી રહે સાથે મહેર સમાજના અમુલ્ય વારસાની ઝાંખી કરાવતું પુસ્તક “મહેર સમાજની વિકાસ ગાથા” મહેર સમાજના ઘરે ઘરે પહોચે જેથી સમાજ પ્રત્યે પ્રેમ અને જ્ઞાતિભાવના વધે અને માલદેવબાપુનું સમાજનાં શૈક્ષણિક વિકાસનું સ્વપ્ન પૂરું કરવામાં સૌ કોઈ સહભાગી બને.
ત્યારબાદ DYSP શ્રી મુળુભાઇ ગોઢાણીયા દ્વારા વક્તવ્ય આપવામાં આવેલ જેમાં એમણે હાજર રહેલ અધિકારીઓને સમાજના સર્વાંગી વિકાસ કરવા ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સાથે જોડાવા આહવાન કરેલ. તેમજ આઈ.પી.એસ. (IPS) ઓફિસર શ્રી સંજયભાઈ કેશવાલાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે નવા પસંદ થયેલ અધિકારી/કર્મચારીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી મેળવેલ, તેમજ હાલ સેવામાં જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને સારી નોકરી મેળવવા પ્રયત્નો ચાલુ રાખવાનું કહેલ. આ બાબતે કોઈપણ પ્રકારનાં માર્ગદર્શનની જરૂર જણાય તો પોતાનો સંપર્ક કરવા જણાવેલ. ત્યારબાદ ત્યાં હાજર રહેલ મહેમાનો તેમજ અધિકારીઓ પાસેથી સમાજનાં શૈક્ષણિક તેમજ સામાજિક વિકાસ માટેનાં સૂચનો માંગવામાં આવેલ જેમાં શ્રી પરબતભાઇ ખીસ્તરીયા, શ્રી મુળુભાઇ ગોઢાણીયા, ડૉ. લીલાભાઈ કડછા, શ્રી સુભાષભાઈ ઓડેદરા, શ્રી રાણાભાઈ ઓડેદરા પ્રો. શ્રી મંજુબેન ખૂંટી, શ્રી સાજણભાઈ ઓડેદરા અને શ્રી નવઘણભાઈ બી. મોઢવાડિયા દ્વારા સમાજઉપયોગી સૂચનો કરવામાં આવેલ.
આ સમારોહના અધ્યક્ષ અને ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ પ્રમુખશ્રી વિમલજીભાઇ ઓડેદરાએ પોતાનાં વક્તવ્યમાં નવા પસંદ થયેલ અધિકારીઓ તેમજ કર્મચારીઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી જણાવેલ કે સમાજનું રત્ન સમા અધિકારીઓ જ્ઞાતિના સર્વાંગી વિકાસ કાર્યોમાં જોડવા આહવાન કરેલ. વધુમાં તેઓએ જણાવેલ કે આજનો મહેર સમાજ ખેતી તેમજ ઉદ્યોગ ક્ષેત્રની સાથે સરકારી ક્ષેત્રે પણ હરણફાળ પ્રગતિ સાધી રહયો છે ત્યારે શિક્ષિત લોકો સમાજ સેવાના કાર્યોમાં આગળ આવશે તો જ સમાજ વિકાસ પથ પર જશે. આજે ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સમાજના વિકાસાર્થે અનેક પ્રવૃતિઓ કરી રહી છે અને જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ કાર્યોમાં જ્ઞાતિના અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સાથ સહકાર મળી રહ્યો છે તેમાં બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો જતો કે આગળ પણ જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ આજ રીતે સાથ સહકાર મળતો રહશે. આજરોજ અધિકારીઓએ આપેલ સુચનોને ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના એજન્ડામાં સામેલ રાખી ભવિષ્યમાં શકય તેટલી અમલવારી કરવામાં આવશે તેવું જણાવેલ. કાર્યક્રમના અંતે ડો.લીલાભાઈ કડછા દ્વારા આભારવીધી કરવામાં આવેલ.
અધિકારીઓ તેમજ કર્મચારીઓના સન્માન માટે આપવામાં આવેલ મહેરવિકાસ ગાથા પુસ્તક ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ અને બાકીનાં કાર્યક્રમને નાગેસભાઈ ઓડેદરા તથા અરજણભાઇ કેશવાલા તરફથી સ્પોનસર કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મહેર સમાજનાં ગૌરવ સમા અનેક ક્લાસ – વન, કલાસ ટુ અને ક્લાસ – થ્રી અધિકારીઓએ તથા કર્મચારીઓ એ બહોળી સંખ્યામાં હાજરી આપેલ. આ સમગ્ર કાર્યક્ર્મનું સંચાલન ડો. રાજીબેન લીલાભાઈ કડછા દ્વારા કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જીતેન્દ્રભાઈ વદર તેમજ ટીમ મહેર સમાજ રાજકોટ એ જેહમત ઉઠાવી હતી.
- IMSC OFFICER GROUP





No Comments